Wednesday, August 27, 2014

આઝાદી પછી જૂનાગઢની આઝાદી

http://www.sandesh.com/article.aspx?newsid=2975546&utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed%3A+Sandesh_Headlines+%28Sandesh+-+Daily+Headlines%29




પ્રજામત : વિશાલ ડોબરિયા
જૂનાગઢના નવાબ મહાબતખાનજી ત્રીજાએ રાજ્યને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરતા પ્રજાજનો તથા દેશની ટોચની નેતાગીરી સ્તબ્ધ થઈ ઊઠી હતી. અહીંથી શરૂ થયો હતો જૂનાગઢની આઝાદી માટેનો સ્વાતંત્ર્ય સંગ્રામ
૧૯૪૭ની રપ સપ્ટેમ્બરે મુંબઈના માધવબાગમાં શામળદાસ ગાંધીના નેતૃત્વમાં આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી. તા.ર૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ આરઝી હકૂમતનું શામળદાસ ગાંધીના નેજા હેઠળ સુરગભાઈ વરૂ, મણીભાઈ દોશી, રતુભાઈ અદાણી વગેરે સાથે રાજકોટ શહેરમાં આગમન થયું. પછી આરઝી હકૂમતમાં સૈનિકોની ભરતી અને તાલીમ શરૂ કરી. ૨૪ ઓક્ટોબરે આરઝી હકૂમતે અમરેલીના કૂંકાવાવ પાસે આવેલા અમરાપુર ગામ ઉપર હલ્લો બોલાવ્યો હતો અને એ જ તારીખે નવાબ જૂનાગઢથી પાકિસ્તાન જવા માટે રવાના થયા હતા. ૯ નવેમ્બર સુધીમાં આરઝી હકૂમતે રાજ્યનાં ૧૧પ જેટલાં નાનાં ગામડાંનો કબજો લઈ લીધો હતો. પોણા ત્રણેક માસ આરઝી હકૂમતની લડાઈ ચાલી. એ જ દિવસે સાંજે પ વાગ્યે ભારતીય લશ્કરે મજેવડી દરવાજામાંથી જૂનાગઢમાં પ્રવેશ કરી રાજ્યનો વિધિવત્ કબજો લીધો. ૧૩ નવેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલે બહાઉદ્દીન કોલેજના મેદાનમાં આરઝી હકૂમતની ઐતિહાસિક જાહેરસભા યોજી હતી. આરઝી હકૂમતમાં તાલીમ પામેલા અને પગારદાર સત્તાવાર ફક્ત ૧પ૦ સૈનિકો જ હતા. આ ઉપરાંત ગામેગામથી ત્રણેક હજાર યુવાનો આ લડત માટે આરઝી હકૂમત સાથે જોડાયેલા હતા. નવાબ પાકિસ્તાન ગયા બાદ કરાંચીસ્થિત ભારતના હાઈકમિશનર શ્રીપ્રકાશને મળી રજૂઆત કરી હતી કે, સરદાર વલ્લભભાઈ તથા મહાત્મા ગાંધીજી કહે ત્યાં સહી કરી આપવા તૈયાર છું. મને ભારત પાછો આવવા દેવામાં આવે.
ફેબ્રુઆરી ૧૯૪૮માં લોકમત લેવામાં આવ્યો હતો. જેમાં પ્રજાને પાકિસ્તાન સાથે જોડાવું છે કે ભારત સાથે તેની ચૂંટણી થઈ હતી. મતગણતરીમાં પાકિસ્તાનની તરફેણમાં ફક્ત ૯૧ મત અને ભારતની તરફેણમાં દોઢેક લાખ મત નીકળ્યા હતા. 
જૂનાગઢની આઝાદી સાથે તેના છેલ્લા નવાબ મહાબતખાનજીની દર્દીલી દાસ્તાન પણ જાણવા જેવી છે. તેમણે પાકિસ્તાનથી જૂનાગઢ પરત આવવા માટે અને તેને ભારત સાથે જોડાણ માટેના પ્રયાસો કર્યા હતા. નવાબે તાર કરીને કહ્યું હતું કે, મારી વ્હાલી પ્રજાના લોહીનું એક પણ ટીપું વહેવું ન જોઈએ. તેમણે જ ભારત સરકારને શરણે થઈ જવાનું જણાવ્યું હતું. આખરે નવાબની સૂચનાથી દીવાન ભુટ્ટોએ ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારી. કેપ્ટન હાર્વે જોન્સ અને સનદી અધિકારી નીલમભાઈ બુચ આગળ શરણાગતિ થઈ હતી. ૯ નવેમ્બર, ૧૯૪૭ના રોજ જૂનાગઢના આઝાદ ચોક અને ઉપરકોટ ખાતે ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ૈંૈં

vishal.dobaria.jnd@gmail.com

No comments:

Post a Comment